1. Home
  2. revoinews
  3. દુર્ગા માતાના વિસર્જન દરમિયાન નદીમાં ડુબ્યા 10 લોકો, 7નાં મોત
દુર્ગા માતાના વિસર્જન દરમિયાન નદીમાં ડુબ્યા 10 લોકો, 7નાં મોત

દુર્ગા માતાના વિસર્જન દરમિયાન નદીમાં ડુબ્યા 10 લોકો, 7નાં મોત

0

રાજસ્થાનના ધૌલપુર જિલ્લામાં મોટી દુર્ઘટના ઘટી હતી. અહીંયા દુર્ગા માતાના વિસર્જન દરમિયાન 10 લોકો નદીમાં ડુબી ગયા હતા જેમાંથી 7 લોકોના મોત થયા છે. જાણકારી અનુસાર આ દુર્ઘટના દિલૌહી વિસ્તારના ભૂડા ઘાટની છે. માતાના વિસર્જન દરમિયાન ચંબલ નદીમાં 10 યુવકો ડુબી ગયા હતા, જેને કારણે ત્યાં અફરાતફરી મચી ગઇ હતી.

જાણકારી મળતા જ પ્રશાસન વિભાગના અધિકારીઓ અને પોલિસની ટીમ ઘટનાસ્થળ પહોંચી હતી અને તપાસ અભિયાન શરૂ કર્યું હતું. બે કલાકની જહેમત બાદ 7 લોકોના શવને બહાર કઢાયા હતા. જો કે હજુ ત્રણ લોકો લાપતા છે. SDRFની ટીમ હાલમાં તપાસ કરી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.