1. Home
  2. revoinews
  3. લોકસભા ચૂંટણીના ફૉર્મ્યુલાની જેમ જ બેઠકોનું વિભાજન કરાશે – ઉદ્વવ ઠાકરે
લોકસભા ચૂંટણીના ફૉર્મ્યુલાની જેમ જ બેઠકોનું વિભાજન કરાશે – ઉદ્વવ ઠાકરે

લોકસભા ચૂંટણીના ફૉર્મ્યુલાની જેમ જ બેઠકોનું વિભાજન કરાશે – ઉદ્વવ ઠાકરે

0

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપ અને શિવસેના વચ્ચે ગઠબંધનને લઇને લગભગ સહમતિ થઇ ચૂકી છે. શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરે એ પણ કંઇક એવા જ સંકેતો આપ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે બે દિવસની અંદર બન્ને પાર્ટી વચ્ચે બેઠકોના વિભાજનને લઇને જાહેરાત કરાશે. ઉદ્વવ ઠાકરેના આ નિવેદનથી જાણી શકાય છે કે બેઠકોના મામલે શિવસેનાનું વલણ અક્કડ નથી પરંતુ નરમ છે.

શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરેએ એ પણ કહ્યું હતું કે લોકસભા ચૂંટણી દરમિયાન બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને સીએમ દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે બેઠક દરમિયાન જે ફોર્મ્યુલા નક્કી થયો હતો એ જ રીતે ગઠબંધનમાં બેઠકોનું વિભાજન કરાશે. જણાવી દઇએ કે 2019 લોકસભા ચૂંટણીમાં શિવસેના 23 બેઠકો પર, જ્યારે બીજેપી 25 બેઠકો પણ ચૂંટણી લડી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.