1. Home
  2. revoinews
  3. ગ્વાલિયરમાં ભારતીય વાયુસેનાનું મિગ 21 ક્રેશ, બન્ને પાયલટે કુદીને જાન બચાવી
ગ્વાલિયરમાં ભારતીય વાયુસેનાનું મિગ 21 ક્રેશ, બન્ને પાયલટે કુદીને જાન બચાવી

ગ્વાલિયરમાં ભારતીય વાયુસેનાનું મિગ 21 ક્રેશ, બન્ને પાયલટે કુદીને જાન બચાવી

0

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ભારતીય વાયુસેનાનું એક મિગ 21 વિમાન ક્રેશ થયું છે. રાહતની વાત એ છે કે બન્ને પાયલટ દુર્ઘટના બાદ સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા છે. ક્રેશ થતા જ વિમાનમાં આગ લાગી હતી. તેમાં એક ગ્રૂપ કેપ્ટન અને એક સ્કોડ્રોન લીડર સવાર હતા. દુર્ઘટના પાછળનું કારણ હાલ જાણવા નથી મળ્યું. આજે સવારે આ દુર્ઘટના ઘટી હતી. આ વર્ષે મિગ ક્રેશ થવાની આ ત્રીજી ઘટના છે.

જણાવી દઇએ કે વાયુસેનાનું મિગ-21 વિંગ કમાંડર અભિનંદન જ ઉડાવી રહ્યા હતા, જ્યારે તે ક્રેશ થયું હતું અને અભિનંદન ઇજેક્ટ થઇને પાકિસ્તાનમાં પડ્યા હતા. ત્યારબાદ માર્ચમાં રાજસ્થાનના બિકાનેરમાં પણ એક મિગ-21 વિમાન ક્રેશ થયું હતું.

નોંધનીય છે કે ભારતીય વાયુસેના અંદાજે પાંચ દાયકા જૂના આ વિમાનોને બદલવાની માંગ લાંબા સમયથી કરી રહી છે. ફ્લાઇંગ કૉફિનના નામથી બદનામ આ વિમાનોને એચએએલ દ્વારા નિર્મિતિ દેશી હલકા લડાકૂ વિમાન તેજસ સામે બદલવાની માંગ કરાઇ રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.